🔥 ट्रेंडिंग कृष्णा डायग्नोस्टिक्स के शेयर 11% बढ़े... आसाम ने पिग्मी घोड़े के संरक्षण कार्यक... 21 वर्षीय को मैनपल छात्र आत्महत्या माम... प्रधानमंत्री मोदी ने नया भारत बनाने की... केंद्र ने उत्तर प्रदेश को झारखंड के 97... શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવ...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

જાફરાબાદમાં માછીમારી ટોકન બંધ, બોટો પરત બોલાવવાની કડક સૂચના

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 17 सित. 2026, 01:40 PM 👁 11
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હવામાન વિભાગની ચેતવણીને કારણે જાફરાબાદમાં 14/09/2026 થી 5 દિવસ માટે માછીમારી ટોકન બંધ અને તમામ બોટો પરત બોલાવવાની કડક સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ, અમદાવાદ અને વડી કચેરી ગાંધીનગરની સૂચનાઓ અનુસાર, જાફરાબાદમાં દરિયામાં ઊંચા મોજા અને 41 કિ.મી./કલાક થી 61 કિ.મી./કલાકની પવન ગતિની સંભાવના સાથે દરિયો ગાંડોતૂર બનવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને 14 સપ્ટેમ્બર 2026 થી આગામી પાંચ દિવસ માટે માછીમારી ટોકન બંધ કરવામાં આવ્યા છે.

આ સમયગાળા દરમિયાન બોટ માલિકોને સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી ટોકન જારી કરવામાં આવશે નહીં અને તમામ માછીમારી બોટોને તાત્કાલિક અસરથી બંદર પર પરત બોલાવવા કડક આદેશ આપવામાં આવ્યો છે.

આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ માછીમારે દરિયામાં માછીમારી કરવા જવું નહીં. હાલ દરિયામાં ગયેલી તમામ બોટોને સુરક્ષિત રીતે નજીકના બંદર પર પાર્ક કરવાની સૂચના આપવામાં આવી છે.

જિલ્લાના તમામ બોટ માલિકો અને માછીમારોને આ સૂચનાઓનું ચુસ્તપણે અને તાત્કાલિક અમલ કરવા જણાવવામાં આવે છે. અહેવાલ હસમુખભાઇ સાંગાણી દ્વારા આપવામાં આવ્યો છે.
📲Get App