🔥 TRENDING पर्युषण महापर्व के अंतिम दिन संवत्सरी... पोटका विधानसभा क्षेत्र में माननीय मोदी... ભાભરનામાં ઇન્સ્ટાગ્રામ કોમેડિયનનું અકસ... बालोतरा में हल्की बारिश और गरज-चमक की... Former Chhatarpur Block Coordinator Se... Bhopal's Rs 250.8 million Permanent Di...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હાલ બેહાલ /અમરેલીના લાઠી રોડ પર આવેલ ઓમ નગર, મોહનનગર અને પ્રગતિનગરના રહીશો પરેશાન: ઓવરલોડ ટ્રકોના ડાયવર્જનથી રસ્તાઓ બિસ્માર

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 17 Sep 2026, 06:20 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હાલ બેહાલ /અમરેલીના લાઠી રોડ પર આવેલ ઓમ નગર, મોહનનગર અને પ્રગતિનગરના રહીશો પરેશાન: ઓવરલોડ ટ્રકોના ડાયવર્જનથી રસ્તાઓ બિસ્માર**
અમરેલીના હનુમાન પરાથી બાયપાસ સુધીના મુખ્ય માર્ગનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવાથી GIDC માંથી નીકળતા ઓવરલોડેડ અને અતિશય વજનદાર ટ્રકોને મોહનનગર, પ્રગતિનગર અને ઓમ નગર-૩ ની અંદરના રોડ પરથી ડાયવર્જન આપવામાં આવ્યું હતું. ભારે વાહનોની સતત અવરજવરના કારણે આ ત્રણેય રહેણાંક સોસાયટીઓના આંતરિક રસ્તાઓ બેસી ગયા છે અને તદ્દન તૂટીને બિસ્માર બની ગયા છે.
​સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, તૂટેલા રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહે છે, જેના કારણે ગંદકી ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધ્યો છે. આ ઉપરાંત, ખાડામાં ભરાયેલું પાણી જમીનમાં ઊંડે ઉતરતા રોડનું ધાણું વધારે બેસતું જાય છે અને ખાડાઓ દિન-પ્રતિદિન મોટા અને જોખમી બની રહ્યા છે.
​સ્થાનિકોની માંગ અને તંત્રની ઉદાસીનતા:

​બે મહિનાથી યાતના: સોસાયટીના રહીશો છેલ્લા બે માસથી આ નરકાગાર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

​અધિકારીઓ મૌન: આ સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટર તેમજ નગરપાલિકામાં રૂબરૂ રજૂઆતો કરવા છતાં અને અગાઉ સ્થાનિક અખબારોમાં પ્રેસનોટ આપવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

​ઉગ્ર માંગણી: સોસાયટીના રહીશોની માંગ છે કે આ રસ્તાઓને તાત્કાલિક ધોરણે કાયમી ધોરણે નવો બનાવીને અથવા તો અસ્થાયી (ટેમ્પરરી) લેવલિંગ કરીને વહેલી તકે રિપેર કરવામાં આવે જેથી અકસ્માત અને રોગચાળો અટકાવી શકાય.
📲Get App