શીલ ગામમાં દરિયાઈ રેતીચોરીના આક્ષેપો, વન વિભાગને જાણ
જુનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામમાં દરિયાઈ રેતીચોરીના આરોપો સાથે સ્થાનિકો અને વન વિભાગ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
શીલ ગામમાં દર વર્ષે ભાદરવી અમાસનો મેળો દરિયા કિનારે યોજાય છે. મેળાના ગ્રાઉન્ડની સફાઈના નામે મોટી માત્રામાં દરિયાઈ રેતી કાઢવામાં આવી હોવાની આશંકા સાથે સ્થાનિકોમાં આક્ષેપો ઉઠ્યા છે.
રેતી કાઢવાની કામગીરી કયા હેતુસર અને કોની મંજૂરીથી કરવામાં આવી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે રેવન્યુ વિભાગમાં હોવાની ખો આપી હતી.
સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે, જેથી હકીકત બહાર લાવી શકાય અને જવાબદારીઓ નિર્ધારિત કરી શકાય.
રેતી કાઢવાની કામગીરી કયા હેતુસર અને કોની મંજૂરીથી કરવામાં આવી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે રેવન્યુ વિભાગમાં હોવાની ખો આપી હતી.
સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે, જેથી હકીકત બહાર લાવી શકાય અને જવાબદારીઓ નિર્ધારિત કરી શકાય.