🔥 TRENDING Mirzapur: The Movie launches lyrical v... FTPCCI and EAGLE Announce Drug-Free In... Hindustan Coca‑Cola Beverages to inves... Andhra Pradesh Announces New Land Refo... Karnataka Rejects Kasturirangan Report... Applied Materials to invest Rs 3,600 c...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના મહિધરપુરામાં બિરાજમાન 'સુરતના રાજા': ૨૫ કિલો સોના-ચાંદી અને હીરાના આભૂષણોથી સજ્જ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી

✍️ Reporter: Dhaval Maheta 🗓 15 Sep 2026, 01:04 AM 👁 16
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની દાળિયા શેરીમાં ૫૩ વર્ષની પરંપરા સાથે બિરાજમાન 'સુરતના રાજા' લાખો રૂપિયાના ઘરેણાં અને ડાયમંડના શણગાર સાથે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ પૂરબહારમાં જામ્યો છે. આ ભક્તિ અને શ્રદ્ધાના પર્વ દરમિયાન ગુજરાતના સુરત શહેરના ડાયમંડ ટ્રેડિંગ હબ ગણાતા મહિધરપુરા વિસ્તારની દાળિયા શેરીમાં બિરાજમાન બાપ્પા વિશેષ ધ્યાન ખેંચે છે. આ ગણેશજીને ‘ગુજરાતના સૌથી ધનિક ગણેશજી’ તરીકે ઓળખવામાં આવે છે, જેઓ આ વર્ષે ૨૫ કિલો સોના-ચાંદી અને રિયલ ડાયમંડના આભૂષણોથી સજ્જ થઈ રાજાશાહી ઠાઠમાં બિરાજે છે.

આયોજકોના જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૭૨થી મહિધરપુરાની દાળિયા શેરીમાં આ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. છેલ્લા ૫૩ વર્ષોથી ચાલી આવતી આ ભવ્ય પરંપરાને કારણે તેઓ શહેરના સૌથી જૂના અને ધનવાન ગણેશજી ગણાય છે. જે રીતે મુંબઈમાં 'લાલબાગ ચા રાજા'નું વિશેષ મહત્વ છે, તેવી જ રીતે 'સુરતના રાજા' સમગ્ર સુરત શહેરનું અભિમાન માનવામાં આવે છે.

આ ભવ્ય પંડાલ દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને આકર્ષે છે. અંદાજે ૫ થી ૬ લાખ મુલાકાતીઓ અહીં આવે છે, જ્યારે ગણેશ ઉત્સવના ૧૦ દિવસ દરમિયાન લગભગ દોઢથી બે લાખ જેટલા ભાવિક ભક્તો દર્શનાર્થે પધારે છે. આગામી દસ દિવસ સુધી આ દિવ્ય પ્રતિમા દેશ-વિદેશના ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે.
📲Get App