🔥 TRENDING જય ગણેશ 🙏 પારનેરા ના સમ્રાટ ગણપતિ બા... AP Small Traders to Receive Credit Car... PIL Filed in AP High Court Challenges... Gujarat launches inspection drive to e... Gujarat’s pollution control model offe... Parnadi na kathe je reling nu kaam Bak...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

હિંમતનગર, ગાયત્રી મંદિરમાં ધર્મ ધ્વજ રોપણ, ગાયત્રી યુવા ગ્રુપનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Sep 2026, 11:22 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા હિંમતનગરના ગાયત્રી મંદિર વિસ્તારમાં ધર્મ ધ્વજ રોપણનું કાર્યક્રમ યોજાઈ, અનેક યજમાનો અને મહેમાનોની હાજરી રહી..

સાબરકાંઠાના-:
હિંમતનગર ગાયત્રી મંદિર વિસ્તારમાં આજે ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા ધર્મ ધ્વજ રોપણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવતા વિવિધ યજમાનોની ઉપસ્થિતિ જોવા મળી.ધર્મ ધ્વજના આયોજનમાં ભૂગવેન્દ્રસિંહ કુંપાવત,મિતુલ વ્યાસ અને રાજુભાઈ માલવિયા મુખ્ય મહેમાનો તરીકે હાજર રહ્યા.તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપ્યું..

યજમાનોમાં ફુટના યજમાન પ્રિન્સ જીગ્નેશભાઈ પંચાલ, દર્શનભાઈ અશોકભાઈ પ્રજાપતિ, આઇડી કાર્ડના યજમાન મહિપાલસિંહ ભમ્મરસિંહ ચૌહાણ, દાદાના ખેસ અને પીતાંબરના યજમાન સુનિલભાઈ રમેશભાઈ શર્મા, ધ્વજારોપણના યજમાન મિતુલભાઈ વ્યાસ, રાજુભાઈ માલવિયા, ભૂગવેન્દ્રસિંહ કુંપાવત, કેન મશીનના યજમાન અમિતભાઈ બેચરભાઈ ગામેતી, શોભાયાત્રા રથના ડેકોરેશનના યજમાન મિતભાઈ શશીકાંતભાઈ પંચાલ (પંચાલ ઈવેન્ટ), પૂજારીના યજમાન ભદ્રેશભાઈ જયંતીભાઈ ભાવસાર, ફુલડારના યજમાન મુકેશભાઈ બંસીધરભાઈ પ્રજાપતિ અને એક દિવસ લાણીના યજમાન ભૂગવેન્દ્રસિંહ કુંપાવત,મિતુલભાઈ વ્યાસ સહિત અનેક વ્યક્તિઓએ ભાગ લીધો..

કાર્યક્રમ દરમિયાન ધ્વજારોપણ, શોભાયાત્રા રથની સજાવટ અને પૂજા સમારંભો યોજાયા, જે સ્થાનિક સમુદાયમાં ધાર્મિક ઉત્સાહ અને એકતા વધારવામાં સહાયરૂપ બન્યા.
📲Get App