🔥 TRENDING जन्माष्टमी के अवसर पर सीटी एसपी ऋत्विक... ગુજરાતમાં ખેડૂતો 3 લાખ સુધીની દેવામાંફ... Sister-in-Law Stabs Woman, Body Dispos... Kerala Experts Warn of Road Safety Gap... Teen Scooter Rider Killed After Being... Kerala Road Accident Claims Lives of 8...
05 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો બોર-કૂવાના સહારે પાક બચાવે છે

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 05 Sep 2026, 10:52 AM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરસાદની અછતથી ખેતરોમાં પાક સુકાઈ જવાની ભીતિ, ખેડૂતો બોર અને કૂવા મારફતે સિંચાઈ કરી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં અપેક્ષા મુજબ વરસાદ ન વરસતા, ખેતી ક્ષેત્રે મોટુ સંકટ ઊભું થયું છે. વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં ઉભો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

હાલ ખેડૂતો પોતાના તૈયાર પાકને બચાવવા માટે બોર અને કૂવા મારફતે સિંચાઈ કરવા મજબૂર બન્યા છે. પાણીનો બગાડ અટકાવવા તેઓ સ્પ્રિંકલર, મિની સ્પ્રિંકલર અને ડ્રિપ ઇરિગેશન જેવી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ લાંબા સમય સુધી આ રીતે સિંચાઈ કરવી આર્થિક અને વ્યવહારિક રીતે મુશ્કેલ બની રહી છે.

હડિયોલ ગામના ખેડૂતો યોગેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી કે, ચોમાસુ પાક તો બોર-કૂવાના સહારે માંડ બચાવી શકાશે, પરંતુ ખરી ચિંતા આગામી રવિ સિઝનની છે.

રવિ સિઝનમાં ઘઉં, બટાકા અને ચણા જેવા મુખ્ય પાકો માટે વારંવાર અને પૂરતી પાણીની જરૂરિયાત રહેશે, જેના માટે પૂરતી જળસ્રોતની વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોને ગંભીર ચિંતા છે.
📲Get App