🔥 ट्रेंडिंग नेपाल बाढ़ में छत्तीसगढ़ की दो एनआरआई... पंजाब सरकार ने ज़िनोव के साथ किया सहयो... पंजाबी इन्फ्लुएंसर की जलती हुई हत्या,... पंजाब BJP ने आंतरिक बयानों पर तीन नेता... યુવા IPS ઓફિસર સફિન હસનું જોખમી સ્ટન્ટ... गुवाहाटी‑बैंकॉक के सीधी उड़ानें 27 अक्...
28 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

મહેસાણા-રાધનપુર રોડ પર બાઇક અકસ્માત: ત્રણ લોકો ઘાયલ, સેવાભાવી નાગરિકની મદદથી હોસ્પિટલ ખસેડાયા

✍️ रिपोर्टर: BABUBHAI PARMAR 🗓 28 अग. 2026, 07:04 PM 👁 4
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા-રાધનપુર રોડ પર થયેલા બાઇક અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સ્થાનિક નાગરિકની મદદથી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

મહેસાણા-રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિરની સામે રાત્રે ૧૦:૪૫ વાગ્યે એક ગંભીર બાઇક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સેવાભાવી નાગરિક ધવલભાઈ સોલંકીએ અકસ્માત જોતા તુરંત જ માનવતા બતાવી હતી. તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી સેવાને ફોન કરીને જાણ કરી હતી.

૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધવલભાઈ સોલંકીની સમયસૂચકતા અને મદદને કારણે ઘાયલોને ઝડપથી તબીબી સહાય મળી શકી હતી.
📲Get App