National
લુણાવાડામાં સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી
સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી અંતર્ગત આજરોજ લુણાવાડા ખાતે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળેલ હતી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નૈલેશભાઈ મુનિયા અને નોડલ ઓફિસર શ્રી સુનિલભાઈ પારગી ના માર્ગદર્શન હેઠળ આજરોજ લુણેશ્વર મંદિર પાસે આવેલી સંસ્કૃત પાઠશાળા થી સંસ્કૃત ગૌરવ યાત્રાની જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા રમતગમત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું આ યાત્રા માં સંસ્કૃત ટેબ્લ્લો આકર્ષણનું કેન્દ્ર બનેલું હતું સમગ્ર યાત્રા લુણાવાડા શહેરના વિવિધ માર્ગો પર ફરી પી એન પંડ્યા આર્ટસ કોલેજ ખાતે પૂર્ણ થયેલ હતી જેમાં જિલ્લાના અધિકારીઓ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા