🔥 TRENDING अवध केसरी राना बेनी माधव बख्श सिंह की... BMC Begins Demolition of Unauthorized... India's NSA Arrives in Beijing to Lay... Three Bambiha members deported from Ma... Supreme Court to Hear Tarun Tejpal’s P... Supreme Court Urges Govt to Stop Priva...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાવનગર લઠ્ઠાકાંડ: મૃત્યુઆંક વધીને ૧૩ પર પહોંચ્યો, સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત

✍️ Reporter: SAGAR PATEL 🗓 24 Aug 2026, 04:50 AM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરના ઘોઘા તાલુકાના ખરાડી ગામમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે, જેમાં વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભાવનગરના ઘોઘા તાલુકાના ખરાડી ગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સારવાર દરમિયાન વધુ બે દર્દીઓના મોત થતા આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની કુલ સંખ્યા ૧૩ પર પહોંચી ગઈ છે.મૃતકોમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના ૩૫ વર્ષીય મુકેશ ડામોરનો સમાવેશ થાય છે. મુકેશ ડામોર ભાવનગરની એક કંપનીમાં હિટાચી મશીન ઓપરેટર તરીકે કામ કરતા હતા. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મુકેશ ડામોરના અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની પાછળ ૬ મહિનાનો પુત્ર અને ૨ વર્ષની પુત્રી પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા છે. આ લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
📲Get App