🔥 TRENDING સાબરકાંઠા: વડાલી પોલીસે ઘરફોડ ચોરીના ૭... સાબરકાંઠામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત... આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડો.... ખેડબ્રહ્મા પોલીસે NDPS ગુનામાં ચાર મહિ... मसौढ़ी में यूजीसी रोलबैक की मांग को ले... રક્ષાબંધન પર્વ નિમિત્તે ગુજરાતમાં મહિલ...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગારીયાધાર–પાલીતાણા રોડ પર કાંકરાથી વાહનચાલકો પરેશાન

✍️ Reporter: Makvana Jaydip 🗓 23 Aug 2026, 07:42 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારીયાધારથી પાલીતાણા તરફ જતા માર્ગ પર રોડના કામ દરમિયાન કાંકરા પાથરવામાં આવ્યા છે. જોકે રસ્તા પર પડેલા છૂટા કાંકરાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તા પરથી વાહનો પસાર થાય ત્યારે કાંકરા ઉછળીને અન્ય વાહનો તરફ જવાની શક્યતા રહે છે, જેના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય પણ સર્જાઈ રહ્યો છે.

ખાસ કરીને બાઈકચાલકો માટે આ સ્થિતિ જોખમી બની શકે છે. સ્થાનિક વાહનચાલકોની માંગ છે કે રસ્તા પર નાખવામાં આવેલા કાંકરાને યોગ્ય રીતે દબાવીને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી વાહનચાલકોને રાહત મળે અને અકસ્માતની શક્યતા ઘટે.

હાલ આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
📲Get App