🔥 ट्रेंडिंग દીવના વણાંકબારા નજીક દરિયામાં માછીમારી... છત્રપતિ સંભાજીનગરમાં iPhoneની જીદને કા... અમદાવાદ: રખિયાલ પોલીસે 519.8 ગ્રામ ગાં... હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે ગંભીર અકસ્... અમદાવાદના માનસી સર્કલ પાસે રસ્તા પર મો... બાલાસિનોર પાસે આવેલું રામેશ્વર હનુમાન...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

તલોદના તાજપુરમાં મેશ્વા નદીના કિનારે દશામાની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન

✍️ रिपोर्टर: Zala ashratisinh 🗓 22 अग. 2026, 03:30 PM 👁 43
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ તાલુકાના તાજપુર ગામે શ્રાવણ સુદ દશમના પવિત્ર દિવસે દસ દિવસના વ્રત બાદ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

તલોદ તાલુકાના તાજપુર ગામે શ્રાવણ સુદ દશમના દિવસે દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ ભાવિક ભક્તો દ્વારા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાજપુર ગામની મેશ્વા નદીના કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ભક્તોએ ભારે ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે દશામાની મૂર્તિઓને નદીના જળમાં પધરાવીને વિદાય આપી હતી.

દસ દિવસના આ વ્રત દરમિયાન ભક્તોએ દશામાની આરાધના કરી હતી. વિસર્જન વિધિ શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
📲Get App