🔥 TRENDING BJP adopts resolution denouncing Congr... Ravi Teja's 'Irumudi' Posts Strong Day... Emraan Hashmi‑Disha Patani’s ‘Awarapan... Ravi Teja’s ‘Irumudi’ Sets Record with... HTET 2025 Result Declared – Direct Lin... Punjab & Haryana High Court seeks FIR...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

તલોદના તાજપુરમાં મેશ્વા નદીના કિનારે દશામાની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન

✍️ Reporter: Zala ashratisinh 🗓 22 Aug 2026, 03:30 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ તાલુકાના તાજપુર ગામે શ્રાવણ સુદ દશમના પવિત્ર દિવસે દસ દિવસના વ્રત બાદ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

તલોદ તાલુકાના તાજપુર ગામે શ્રાવણ સુદ દશમના દિવસે દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ ભાવિક ભક્તો દ્વારા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાજપુર ગામની મેશ્વા નદીના કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ભક્તોએ ભારે ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે દશામાની મૂર્તિઓને નદીના જળમાં પધરાવીને વિદાય આપી હતી.

દસ દિવસના આ વ્રત દરમિયાન ભક્તોએ દશામાની આરાધના કરી હતી. વિસર્જન વિધિ શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
📲Get App