Local
અમરેલી: જાફરાબાદમાં માછીમારો માટે સુરક્ષા અને સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Watch on:
▶️ YouTube
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જાફરાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં 400થી વધુ માછીમારોને દરિયાઈ સુરક્ષા અને સાયબર ક્રાઈમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં જાફરાબાદ ખાતે ‘ફિશરમેન અવેરનેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માછીમારોને દરિયાઈ સુરક્ષા, શંકાસ્પદ હિલચાલની ઓળખ અને આપત્તિના સમયે લેવાતા જરૂરી પગલાં અંગે સજાગ કરવાનો હતો.
આ કાર્યક્રમમાં આશરે 400 જેટલા માછીમારો અને સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. પોલીસ અધિકારીઓએ માછીમારોને દરિયાઈ સરહદની સુરક્ષામાં તેમની સક્રિય ભાગીદારીનું મહત્વ સમજાવ્યું હતું અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત, વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ક્રાઈમ સામે રક્ષણ મેળવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માછીમારોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના OTP, ATM PIN અને બેંકની ખાનગી વિગતો કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરે અને સાયબર છેતરપિંડીથી સાવચેત રહે.
દરિયાઈ સુરક્ષામાં માછીમાર સમાજની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પોલીસની આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
આ કાર્યક્રમમાં આશરે 400 જેટલા માછીમારો અને સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. પોલીસ અધિકારીઓએ માછીમારોને દરિયાઈ સરહદની સુરક્ષામાં તેમની સક્રિય ભાગીદારીનું મહત્વ સમજાવ્યું હતું અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત, વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ક્રાઈમ સામે રક્ષણ મેળવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માછીમારોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના OTP, ATM PIN અને બેંકની ખાનગી વિગતો કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરે અને સાયબર છેતરપિંડીથી સાવચેત રહે.
દરિયાઈ સુરક્ષામાં માછીમાર સમાજની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પોલીસની આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે.