🔥 ट्रेंडिंग परीक्षा ड्यूटी को लेकर पुलिस अधिकारियो... જૂનાગઢમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી... हथियार के साथ युवक गिरफ्तार વેરાવળમાં દશામાના વ્રતના દસમા દિવસે હર... बॉलीवुड के हेयरस्टाइलिस्ट ने बताया, टै... यशवर्धन अहुजा का बॉलीवुड में पहला कदम:...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભરૂચની મનુબર ચોકડી પર આવેલી હોટલ પર તંત્રનો સપાટો, વાસી ખોરાક મળતા હોટલ સીલ

✍️ रिपोर्टर: Shahid Mansuri 🗓 22 अग. 2026, 05:48 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચની મનુબર ચોકડી પર આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વાસી ખાદ્ય સામગ્રી મળી આવતા હોટલ બંધ કરાવી દેવામાં આવી છે.

ભરૂચની મનુબર ચોકડી પર આવેલી 'અસલ અમદાવાદી તવા ફ્રાય' હોટલ પર વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. એસડીએમ મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલની આગેવાની હેઠળ પોલીસ, ડ્રગ્સ વિભાગ, ફાયર અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન હોટલમાંથી મોટી માત્રામાં વાસી ખાદ્ય સામગ્રી મળી આવી હતી, જેને તંત્ર દ્વારા તાત્કાલિક જપ્ત કરવામાં આવી હતી. આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન અને ગંભીર બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા હોટલને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે.

આ દરોડાને પગલે વિસ્તારના અન્ય ખાદ્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. તંત્રની આ કાર્યવાહી બાદ હવે હોટલ સંચાલકો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App