🔥 ट्रेंडिंग उप मुख्यमंत्री श्री अरुण साव महारुद्रा... સુરતમાં નશાખોર રિક્ષાચાલકનો આતંક: બેફા... एस डी एम महोदय को आवेदन पत्र देकर निष्... थाना समाधान दिवस में डीएम ने सुनी फरिय... जिला मुख्यालय स्थित तहसील कार्यालय की... અમરેલીના ચલાલા ખાતે ખેતી વિષયક મંડળીની...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સપ્તેશ્વર સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા મહેસાણાના બે યુવકો ડૂબ્યા

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar Ramesh Bhai 🗓 22 अग. 2026, 03:34 PM 👁 8
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન દરમિયાન મહેસાણાના બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

મહેસાણાના બે યુવકો સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયા હતા. આ દરમિયાન નદીના ઊંડા પાણીમાં ઉતરતા બંને યુવકો ડૂબી ગયા હતા, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ હિંમતનગર, ઈડર અને વિજાપુરની ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમના જવાનો દ્વારા નદીમાં સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઘણા સમયની જહેમત બાદ ફાયર ટીમે બંને યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
📲Get App