Education
માંગરોળ ની બી.આર.એસ. કોલેજમાં 'વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ'ની ઉજવણી: સફળ ઉદ્યોગસાહસિકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
Watch on:
▶️ YouTube
જૂનાગઢની બી.આર.એસ. કોલેજમાં વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
બી.આર.એસ. કોલેજ ખાતે તારીખ ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ 'વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ' (World Entrepreneurs' Day) ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાના ગુણો વિકસે અને તેઓ ભવિષ્યમાં સ્વરોજગાર તથા નવા વ્યવસાય ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત થાય તેવા શુભ આશયથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ક્રિષ્ના હોટેલ, જૂનાગઢના સંચાલક શ્રી નગાજણભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઔદ્યોગિક સાહસિકતાના ક્ષેત્રે પોતાની સફળ સફરના અનુભવો શેર કર્યા હતા. આ ઉપરાંત, તેમણે વ્યવહારુ અને રોજિંદા જીવનના ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિક બનવા માટે જરૂરી મહત્વપૂર્ણ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના કુલ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ૫૮ વિદ્યાર્થીનીઓ અને ૪૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. એચ. ડી. ઝણકાટ, સિનિયર પ્રોફેસર ડૉ. શીતલબેન ઠાકોર, ડૉ. લીલાબેન પટેલ તથા સ્ટાફ પરિવારે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન ઈનોવેશન કો-ઓર્ડિનેટર ડૉ. જાગૃતિબેન ધડુસ તથા કો-કો-ઓર્ડિનેટર ડૉ. ઉદયસિંહ ડોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ વક્તાશ્રીના માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આયોજકો અને સ્ટાફગણના પ્રયાસોથી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને સફળ રહ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ક્રિષ્ના હોટેલ, જૂનાગઢના સંચાલક શ્રી નગાજણભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઔદ્યોગિક સાહસિકતાના ક્ષેત્રે પોતાની સફળ સફરના અનુભવો શેર કર્યા હતા. આ ઉપરાંત, તેમણે વ્યવહારુ અને રોજિંદા જીવનના ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિક બનવા માટે જરૂરી મહત્વપૂર્ણ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના કુલ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ૫૮ વિદ્યાર્થીનીઓ અને ૪૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. એચ. ડી. ઝણકાટ, સિનિયર પ્રોફેસર ડૉ. શીતલબેન ઠાકોર, ડૉ. લીલાબેન પટેલ તથા સ્ટાફ પરિવારે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન ઈનોવેશન કો-ઓર્ડિનેટર ડૉ. જાગૃતિબેન ધડુસ તથા કો-કો-ઓર્ડિનેટર ડૉ. ઉદયસિંહ ડોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ વક્તાશ્રીના માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આયોજકો અને સ્ટાફગણના પ્રયાસોથી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને સફળ રહ્યો હતો.