🔥 TRENDING વલસાડ: અતુલ ગ્રામ પંચાયતના રૂ.14 લાખના... District Official Visits Schools to As... ਬਠਿੰਡਾ ਪੁਲਿਸ ਵੱਲੋਂ ਨਸ਼ਾ ਤਸਕਰੀ ਖਿਲਾਫ ਵੱ... ਫਿਰੌਤੀ ਲਈ ਕਰਵਾਈ ਗਈ ਫਾਇਰਿੰਗ ਮਾਮਲੇ ਵਿੱਚ... ਮੁਕਤਸਰ: ਗੋਬਿੰਦ ਨਗਰੀ ਵਿੱਚ 28 ਸਾਲਾ ਨੌਜਵਾ... જૂનાગઢ: રાજસ્થાનથી મંગાવેલો ૧૩.૬૬ લાખન...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

માંગરોળના શેરીયાજ બારામાં બંધ મકાનને નિશાન બનાવી ૧.૪૦ લાખની ચોરી

✍️ Reporter: Sudip Gadhiya 🗓 22 Aug 2026, 12:48 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શેરીયાજ બારા ગામે તસ્કરોએ બંધ મકાનનો નકુચો તોડી રોકડ અને દાગીના સહિત કુલ ૧.૪૦ લાખની મત્તાની ચોરી કરી છે.

માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના શેરીયાજ બારા ગામે ચોરીનો બનાવ સામે આવ્યો છે. રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે બંધ મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનો નકુચો તથા પેટીનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

ચોરીની આ ઘટનામાં ફરિયાદી કાસમભાઈ સમાના મકાનમાંથી રોકડ રકમ ₹૪૦,૦૦૦, સવા તોલા સોનાના ઈયરીંગ જેની કિંમત ₹૮૦,૦૦૦, ૨૦ તોલા ચાંદીની બંગડીઓ જેની કિંમત ₹૨૦,૦૦૦ તેમજ જુનવાણી ત્રાંબાના વાસણોની ચોરી થઈ છે. આ રીતે તસ્કરો કુલ ₹૧,૪૦,૦૦૦નો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા.

ફરિયાદી કાસમભાઈ સમાની ફરિયાદના આધારે માંગરોળ મરીન પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ કરી તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
📲Get App