🔥 ट्रेंडिंग ઇડરના સપ્તેશ્વર નદીમાં બે યુવાનો ડૂબ્ય... अमेठी: 500 सीसीटीवी कैमरों की जांच के... સિહોરમાં પોલીસની મોટી કાર્યવાહી: 94 બો... अमेठी: आलू किसानों के लिए तीन नई सरकार... अमेठी: विवाहिता की हत्या का सनसनीखेज ख... સુરતના ખોલવડના વિકાસ માટે રેખાબેન સંઘા...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમદાવાદના વસ્ત્રાલમાં દશામાના વિસર્જન નિમિત્તે ભક્તિસભર માહોલ, ભક્તોમાં ભારે ઉત્સાહ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 अग. 2026, 10:50 AM 👁 18
यहाँ देखें: 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં દશામાના વિસર્જન પ્રસંગે ભક્તો દ્વારા ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં દશામાના વિસર્જન નિમિત્તે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. દશામાના વ્રતની પૂર્ણાહુતિના ભાગરૂપે ભક્તો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિસર્જન યાત્રા દરમિયાન ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાંના તાલે ભક્તો ભક્તિમાં લીન થઈને દશામાની વિદાય આપી રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું.

શ્રદ્ધાળુઓએ શ્રદ્ધા અને ઉમંગ સાથે દશામાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને ધાર્મિક વિધિઓમાં જોડાયા હતા.
📲Get App