🔥 TRENDING સુરતમાં સીલ કરેલી હોટલ એક જ રાતમાં કેવ... ધાંગધ્રાના મેથાણ ગામે પોણા બે કરોડનું... ਜਲੰਧਰ ਵਿੱਚ 'ਪੰਜਾਬ ਬੰਦ' ਦੌਰਾਨ ਸੜਕਾਂ 'ਤੇ... ਜੀਰਾ ਹਲਕੇ ਦੇ ਸਾਬਕਾ ਵਿਧਾਇਕ ਕੁਲਬੀਰ ਸਿੰਘ... ગીરગઢડા અને ઉના ખાતે શ્રી પ્રવીણભાઈ તો... ગોધરા: ઉમરપૂરથી મીઠાલી વાયા ગોધરા રૂટ...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બાલાસિનોર: પ્રજાપતિ સમાજને કુળદેવી બ્રહ્માણી માતાના મંદિર અને સમાજવાડી માટે જમીન ફાળવવા માંગ

✍️ Reporter: Prajapati dharmikkumar babubhai 🗓 21 Aug 2026, 10:02 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાલાસિનોર નગરપાલિકા હસ્તકની જમીન પર પ્રજાપતિ સમાજ માટે મંદિર અને સમાજવાડી બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલી જમીન પર પ્રજાપતિ સમાજ દ્વારા પોતાની કુળદેવી બ્રહ્માણી માતાનું મંદિર અને સમાજવાડી બનાવવા માટે જમીન ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ અંગે સમાજના અગ્રણીઓ દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

પ્રજાપતિ સમાજના લોકોનું કહેવું છે કે સમાજની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે એક સુદ્રઢ જગ્યાની જરૂરિયાત છે. આ હેતુથી નગરપાલિકાના કબજા હેઠળની જમીન પૈકી યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તો સમાજના ૩૨ ગામના લોકોને તેનો લાભ મળી શકે તેમ છે.

આ સમગ્ર મામલે નગરપાલિકા દ્વારા આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. સમાજ દ્વારા આ જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્રને વિનંતી કરવામાં આવી છે.
📲Get App