🔥 ट्रेंडिंग ધોરાજી નજીક ટ્રકમાંથી ₹૨.૨૪ લાખનો ઈંગ્... રેસ્ટોરાંની રોટલીમાંથી માખી નીકળતાં રૂ... कुंडईम: सांसद कैप्टन विरियातो फर्नांडि... જામનગરના મયુરનગર વિસ્તારમાં આવાસના મકા... મહિસાગરના કાઠબામાં DySP કમલેશ વસાવાની... બોડેલીમાં 'સાડી દોડ'નું આયોજન: મહિલાઓએ...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

જામનગરના મયુરનગર વિસ્તારમાં આવાસના મકાનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 अग. 2026, 01:36 PM 👁 12
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરના મયુરનગર નજીક આવેલા આવાસના મકાનમાં રાત્રિના સમયે આગ લાગતા દોડધામ મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

જામનગરના મયુરનગર વિસ્તાર નજીક આવેલા આવાસના મકાનમાં રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં રહેલી ઘરવખરીના સામાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટું નુકસાન ટળી ગયું હતું.
📲Get App