स्थानीय
ગીરગઢડાના ધોકડવા ગામમાં કૂવામાં ખાબકતા સિંહનું કરુણ મોત
ગીર સોમનાથના ગીરગઢડામાં એક સિંહ અંદાજે 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં તેનું મોત નીપજ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં વનરાજના મોતની એક કરુણ ઘટના સામે આવી છે. ધોકડવા ગામની એક વાડીમાં આવેલ કૂવા પર લગાવેલી સુરક્ષા નેટ અચાનક તૂટી જતાં સિંહ સીધો કૂવામાં ખાબક્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૂવો અંદાજે 60 ફૂટ જેટલો ઊંડો હતો. કૂવામાં પાણી હોવાને કારણે અને ઊંડાઈ વધુ હોવાથી સિંહ બહાર નીકળી શક્યો ન હતો, જેના પરિણામે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૂવો અંદાજે 60 ફૂટ જેટલો ઊંડો હતો. કૂવામાં પાણી હોવાને કારણે અને ઊંડાઈ વધુ હોવાથી સિંહ બહાર નીકળી શક્યો ન હતો, જેના પરિણામે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.