🔥 TRENDING Councilor Kunal Solanki Leads Mud Sit‑... Passenger bus teeters over gorge at Ja... Five 20-Year-Old Bombs Discovered Unde... Jaipur Transport Dept Cracks Down on F... Hardcore criminal Imran alias Mogli in... વંદે માતરમ્ પર શર્મિલા ટાગોરના નિવેદન...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાવનગર લઠ્ઠાકાંડ: પીડિતોની મુલાકાતે પહોંચ્યા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસના આગેવાનો

✍️ Reporter: Makvana Jaydip 🗓 22 Aug 2026, 12:02 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્ત થયેલા પીડિતોની ખબર-અંતર પૂછવા માટે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ સર ટી. હોસ્પિટલ પહોંચ્યા હતા.

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડની ઘટના બાદ સ્થિતિ ગંભીર બની છે. આ દુર્ઘટનામાં ભોગ બનેલા પીડિતોની હાલત જાણવા અને તેમને સાંત્વના આપવા માટે વડગામના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની સાથે કોંગ્રેસ પક્ષના અન્ય સ્થાનિક આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતો સાથે મુલાકાત કરી હતી અને તેમની તબિયત અંગે પૂછપરછ કરી હતી.

આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી અને સમગ્ર ઘટના અંગે વિગતો મેળવી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા આપવામાં આવી રહેલી સારવાર અંગે પણ તેમણે માહિતી મેળવી હતી.
📲Get App