Agriculture
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે બે દિવસીય દ્વિમાસિક તાલીમ કાર્યશાળાનું આયોજન
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ ઋતુમાં ખેડૂતોની સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ માટે અધિકારીઓ માટે તાલીમ કાર્યશાળા યોજાઈ હતી.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત ૨૦ અને ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન 'દ્વિમાસિક તાલીમ કાર્યશાળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયાના માર્ગદર્શન હેઠળ અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. બી. જાદવના અધ્યક્ષસ્થાને આ કાર્યશાળા સંપન્ન થઈ હતી.
આ કાર્યશાળામાં રાજકોટના સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) જી. એસ. દવે, નાયબ ખેતી નિયામક (તાલીમ) ડી. જી. રાઠોડ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. સી. છોડવડીયા, જીગર ભટ્ટ તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીઓ અને વિવિધ વિભાગોના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં કુલ ૫૦ અધિકારીઓએ ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા ખરીફ ઋતુમાં ખેડૂતોને પડતી વિવિધ ખેતીલક્ષી સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પાક ઉત્પાદન, પાક સંરક્ષણ, જમીન અને પોષણ વ્યવસ્થાપન તેમજ હવામાનની સ્થિતિને અનુરૂપ આધુનિક ખેતી પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ તાલીમનો મુખ્ય હેતુ નવીન અને વૈજ્ઞાનિક ખેતી તકનીકોને ખેડૂતો સુધી પહોંચાડીને ખેતી ક્ષેત્રની સમસ્યાઓનો અસરકારક ઉકેલ લાવવાનો છે, જેથી ખેડૂતોને ખેતીમાં વધુ સારું પરિણામ મળી શકે.
આ કાર્યશાળામાં રાજકોટના સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) જી. એસ. દવે, નાયબ ખેતી નિયામક (તાલીમ) ડી. જી. રાઠોડ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. સી. છોડવડીયા, જીગર ભટ્ટ તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીઓ અને વિવિધ વિભાગોના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં કુલ ૫૦ અધિકારીઓએ ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા ખરીફ ઋતુમાં ખેડૂતોને પડતી વિવિધ ખેતીલક્ષી સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પાક ઉત્પાદન, પાક સંરક્ષણ, જમીન અને પોષણ વ્યવસ્થાપન તેમજ હવામાનની સ્થિતિને અનુરૂપ આધુનિક ખેતી પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ તાલીમનો મુખ્ય હેતુ નવીન અને વૈજ્ઞાનિક ખેતી તકનીકોને ખેડૂતો સુધી પહોંચાડીને ખેતી ક્ષેત્રની સમસ્યાઓનો અસરકારક ઉકેલ લાવવાનો છે, જેથી ખેડૂતોને ખેતીમાં વધુ સારું પરિણામ મળી શકે.