🔥 ट्रेंडिंग ગારીયાધાર–પાલિતાણા રોડની બિસ્માર હાલત વઢવાણમાં ઘર સામે જોવા બાબતે બે પક્ષો વ... હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમવાર ભારત... સાબરકાંઠાના વિજયનગરના આદિવાસી સમાજે મે... સુરતમાં બાળકીના મોત બાદ રાજ્યભરમાં ફૂડ... खराड़ीवाड़ा स्कूल में 100 छात्रों निशुल्...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સુરતમાં બાળકીના મોત બાદ રાજ્યભરમાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ: ૧૮૭ રેસ્ટોરેન્ટ્સ પર કાર્યવાહી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 20 अग. 2026, 09:16 PM 👁 18
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં ૫ વર્ષની બાળકીના મોત બાદ રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા વિભાગે સઘન ચેકિંગ હાથ ધરીને સેંકડો અખાદ્ય એકમો સામે કડક પગલાં લીધા છે.

સુરતમાં ૫ વર્ષની બાળકીના દુઃખદ અવસાન બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યભરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૧૮૭ રેસ્ટોરેન્ટ્સમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર ૧૩૭ રેસ્ટોરેન્ટ્સને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ અને નડિયાદમાં પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ૬ રેસ્ટોરેન્ટ્સને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે ૪૦ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, ગંભીર બેદરકારી બદલ ૪ એકમોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં ૨૪૩ હોટેલ અને ઢાબા પર કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગમાં ૫૪૮ કિલો અખાદ્ય અને દૂષિત ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. નિયમોનો ભંગ કરનાર ૧૨૮ એકમોને નોટિસ આપીને કુલ ૪.૪૩ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે, તેમજ ૪૩ રેસ્ટોરેન્ટ્સને તાત્કાલિક બંધ કરાવી દેવાયા છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
📲Get App