Viral & Trending
પત્નીની હત્યા કરી પતિએ કયોં આપધાત
કેશોદમાં ચકચારી હત્યા અને આપઘાતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પતિએ પત્નીની હત્યા શા માટે કરી અને ત્યારબાદ આપઘાતનું પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાના ચોક્કસ કારણો અને અન્ય વિગતો તપાસ બાદ સામે આવશે.