🔥 TRENDING રામોલમાં 7 મહિના જૂનું વાહન ચોરીનું કે... આહવા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બસ સ્ટે... ડીસા રૂરલ પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઇલ... માંગરોળ માં એક અભિયાન ના પ્રણેતા દર્પણ... Sikkim proposes ban on two‑wheelers in... Sikkim launches BHASHINI workshop to d...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અબાજીને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે ઝુંબેશ શરૂ કર્યું

✍️ Reporter: Lalabhai Devrambhai Solanki(Darji) 🗓 20 Aug 2026, 12:15 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અબાજીને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે ઝુંબેશ શરૂ કર્યું

બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ શરૂ કરી છે. આગામી ભાદરવી પૂર્ણિમા મહામેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રયાસો શરૂ કરાઈ

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ અંબાજીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. મંદિર નિરીક્ષકો અને GISF કર્મચારીઓની એક ટીમે અંબાજીની દુકાનોમાં ઓચિંતી તપાસ કરી, નિરીક્ષણ દરમિયાન 125 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કર્યું.

અંબાજી મંદિર પરિસરમાં પલાસ્ટિક ની થેલીઓ સાથે લઈને આવનારા યાત્રાળુઓ ને સમજવામાં આવ્યા હતા અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો દ્વારા પ્લાસ્ટિક તપાસ ચાલુ રહેશે, અને વેપારીઓને પ્લાસ્ટિક થેલીઓ એકત્રિત ન કરવાની સલાહ આપવામાં આવી છે.
📲Get App