🔥 TRENDING खेरवाड़ा में शिक्षक और युवाओं की अनूठी... અમરેલીના અભરામપરા ગામના શ્રદ્ધાળુઓ શ્ર... Vandalism of SGPC Buses on Virasati Ro... Postmortem of Delhi CNG Pump Accident... Delhi Government Rolls Back Class‑9 R‑... Bailey Bridge on Vikramshila Set to be...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શૈત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા સિંહોની અવર-જવર પર નજર રખાશે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 19 Aug 2026, 02:25 PM 👁 8
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર એશિયાઈ સિંહોની હાજરીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા અને સિંહોના સંરક્ષણ માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ.

ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં જૈન આગેવાનો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર છેલ્લા કેટલાક સમયથી એશિયાઈ સિંહોની હાજરીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સાથે સાથે સિંહોના સંરક્ષણને પણ ધ્યાનમાં રાખવાનો હતો.

યાત્રાળુઓની સુરક્ષા માટે અનેક પગલાં લેવાની વિચારણા કરવામાં આવી છે. જેમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા રાત-દિવસ સતત નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત, 4 પ્રિ-ફેબ્રિકેટેડ વોચ ટાવર અને સેન્ટર કમ કેબિન દ્વારા સિંહોની અવર-જવરનું સતત ટ્રેકિંગ અને સ્કેનિંગ કરવામાં આવશે.

આ વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવા અંગે પણ વિચારણા કરવામાં આવશે, જેથી સિંહોની શાંતિ જળવાઈ રહે અને યાત્રાળુઓને પણ કોઈ અસુવિધા ન થાય. સિંહોના ટ્રેકિંગ અને યાત્રાળુઓની સુરક્ષા માટે હંગામી ધોરણે સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવશે, જેથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની શકે.
📲Get App