देश
સાબરકાંઠામાં ૮૦માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, યોગદાન આપનારાઓનું સન્માન
यहाँ देखें:
▶️ YouTube
સાબરકાંઠા જિલ્લામાં ૮૦માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું.
સાબરકાંઠા જિલ્લામાં ૮૦માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેનું અધ્યક્ષત્વ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાહેબે કર્યું. આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારીયા અને હિમ્મતનગરના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબે માનભેર તિરંગાને સલામી આપી.
આ કાર્યક્રમમાં સામાજિક, સુરક્ષા અને જુદા-જુદા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સમાજના મોભી સમા વ્યક્તિઓનું તેમજ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે, ભારત દેશના વિકાસ અને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટેની ક્ષમતાની ચર્ચા કરવામાં આવી.
આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને યાદ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
આ કાર્યક્રમમાં સામાજિક, સુરક્ષા અને જુદા-જુદા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સમાજના મોભી સમા વ્યક્તિઓનું તેમજ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે, ભારત દેશના વિકાસ અને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટેની ક્ષમતાની ચર્ચા કરવામાં આવી.
આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને યાદ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા.