🔥 TRENDING Assam Simplifies Business: Small Non-P... Bihar Farmers Protest Land Acquisition... Bihar on Flood Alert: Heavy Rains in N... Nitin Gadkari to Inspect Delhi-Mumbai... Bihar Police Bust Major Counterfeit No... Bihar: Amin Arrested Red-Handed for Ta...
08 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!
Crime

જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 08 Jul 2026, 02:05 PM 👁 31
ચૌહાણ સંજય જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવકનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે. જ્યારે હત્યા કરનાર આરોપીનું નામ જયેન કાળુભાઈ વાઘેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી જયેનના પિતાનું આશરે ૧૦ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ તેની માતા મૃતક કમલેશ અરવિંદભાઈ વાઘેલા સાથે મૈત્રી કરારથી જેતપુર ખાતે રહેતી હતી. આરોપી જયેન પોતે રાજકોટ મુકામે રહેતો હતો અને તેની માતા કમલેશ સાથે આ રીતે રહે તે બાબતનું તેને પહેલેથી જ મનદુઃખ (વાંધો) હતું.
આ જ મનદુઃખને કારણે આરોપી જયેન રાજકોટથી જેતપુર આવ્યો હતો. જ્યાં કણકિયા વિસ્તારમાં કમલેશ વાઘેલા સાથે તેની ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જ રોષે ભરાયેલા જયેને કમલેશ પર છરી વડે આડેધડ ઘા મારી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે કમલેશનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.