🔥 TRENDING J&K Hosts 'Storytellers' Meet J&K Reconstitutes UT Project Group J&K: Heavy Vehicles Banned on Nau Devi... Bhopal Constable Abducted, Assaulted Mumbai Metro Introduces Short-Loop Ser... Mumbai Arrests UP Man With Firearms
11 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ગારીયાધારમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, પરંપરાગત વેશભૂષામાં યોજાઈ શોભાયાત્રા

✍️ Reporter: Makvana Jaydip 🗓 09 Aug 2026, 09:00 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગારીયાધારમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ. પરંપરાગત વેશભૂષામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા અને આદિવાસી સંસ્કૃતિ તથા એકતાનો સંદેશ આપ્યો.

ગારીયાધારમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય આદિવાસી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રામાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પરંપરાગત વેશભૂષા અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ રંગો સાથે સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ડીજેના તાલે અને પરંપરાગત સંગીતના સૂર સાથે શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. મોટી સંખ્યામાં સમાજના લોકોની હાજરીથી ગારીયાધાર શહેર જાણે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

શોભાયાત્રા દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. યુવાનો, મહિલાઓ અને સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી આ ભવ્ય શોભાયાત્રાએ ગારીયાધારમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાની સુંદર ઝલક રજૂ કરી હતી
📲Get App