🔥 TRENDING जगाधरी में कूड़े का ढेर और स्ट्रीट लाइ... Councilor Kunal Solanki Leads Mud Sit‑... Passenger bus teeters over gorge at Ja... Five 20-Year-Old Bombs Discovered Unde... Jaipur Transport Dept Cracks Down on F... Hardcore criminal Imran alias Mogli in...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ભાવનગર ઝેરી દારૂકાંડ: જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માગ કરીભાવનગર નકલી દારૂકાંડ મામલે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું, 'રાજ્યના ગૃહમંત્રી અને CM રાજીનામું આપે'

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 22 Aug 2026, 12:12 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 8 લોકોના મોત બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હોસ્પિટલની મુલાકાત લીધી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા.

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 19થી વધુ લોકો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ગંભીર ઘટના બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાવનગરની હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારોને મળી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન જીજ્ઞેશ મેવાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને બુટલેગરોની મિલીભગતને કારણે જ રાજ્યમાં દારૂનું દુષણ વકર્યું છે.

વધુમાં, મેવાણીએ સ્થાનિક ભાજપના નેતાઓની સંવેદનહીનતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પોલીસ તપાસની નિષ્પક્ષતા સામે અવિશ્વાસ વ્યક્ત કરતા આ સમગ્ર મામલે કડક કાર્યવાહીની માગ દોહરાવી હતી.
📲Get App