Politics
જયપુરમાં 'સ્કૂલ ઠીક કરો' અભિયાન દરમિયાન CJP કાર્યકરો પર હુમલો, ગાડીઓના કાચ તોડાયા
Watch on:
📷 Instagram
જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી શાળાની મુલાકાતે ગયેલા કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી શાળાની સ્થિતિ સુધારવા માટેના 'સ્કૂલ ઠીક કરો' અભિયાન અંતર્ગત કોકરોચ જનતા પાર્ટી (CJP) ના કાર્યકરો અને પ્રવક્તા આશુતોષ રાંકા શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું.
સ્થાનિક ગ્રામજનોએ CJP ના કાર્યકરો પર રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ કર્યો હતો. વિવાદ એટલો વકર્યો કે ગ્રામજનોએ કાર્યકરોને ત્યાંથી ભગાડી મૂક્યા હતા અને તેમની ગાડીઓમાં તોડફોડ કરી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા.
બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટીએ આ હુમલા પાછળ ભાજપ પ્રેરિત તત્વોનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હાલ આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.
સ્થાનિક ગ્રામજનોએ CJP ના કાર્યકરો પર રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ કર્યો હતો. વિવાદ એટલો વકર્યો કે ગ્રામજનોએ કાર્યકરોને ત્યાંથી ભગાડી મૂક્યા હતા અને તેમની ગાડીઓમાં તોડફોડ કરી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા.
બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટીએ આ હુમલા પાછળ ભાજપ પ્રેરિત તત્વોનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હાલ આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.