🔥 TRENDING नवादा में स्नातकोत्तर की पढ़ाई शुरू कर... સુરેન્દ્રનગરના લોકમેળામાં સાંસ્કૃતિક ક... जिला महिला चिकित्सालय में डीएम ने किया... અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવા... અમદાવાદના ગોતા વિસ્તારમાં ગટરના ગંદા પ... ગુજરાતમાં દારૂબંધી હટાવવા અંગે મંત્રી...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરેન્દ્રનગરમાં રાજસ્થાનના આરસથી BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ: મંદિરનું નિર્માણ થાય ત્યાં સુધી રોજ એક જેન-ઝી નિર્જળા ઉપવાસ કરશે

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 Aug 2026, 04:54 PM 👁 8
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વામિનારાયણ BAPS સંસ્થાના મહંત સ્વામી મહારાજના સંકલ્પથી સુરેન્દ્રનગર શહેરમાં 2 એકરનું ભવ્ય મંદિર બની રહ્યું છે. જેમાં રાજસ્થાનના આરસનો ઉપયોગ થશે.

કુલ 20 એકર જમીનમાં 4000થી વધુ હરિભક્તો એક સાથે બેસી શકે તેવો સત્સંગ હોલ, અક્ષર પુરુષોત્તમ મંડપમ, સત્સંગ સભા હોલ, નીલકંઠ અભિષેક મંડપમ બનશે.

આ મંદિરના નિર્માણમાં માત્ર દાન નહીં પણ ત્યાગનો મહિમા છે. વર્ષ 2028 સુધી આ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે ત્યાં સુધી દરરોજ એક જેન-ઝી નિર્જળા ઉપવાસ કરશે. હાલ 150 યુવાનોની સાંકળ રચાઇ છે. નાના ભૂલકાંઓ પણ ચોકલેટ, મિઠાઇ જેવી પ્રિય વસ્તુઓનો ત્યાગ કરી મંદિર નિર્માણમાં પોતાના સમર્પણ ગાથા કંડારી રહ્યાં છે.

મંત્ર, સેવા અને દાન

મંદિરના કોઠારી ધર્મચિંતન સ્વામીએ જણાવ્યું હતું કે, આ મંદિરના નિર્માણ સાથે યુવાનોમાં સંસ્કૃતિનું સિંચન થશે. કોઇએ મંત્ર પાઠ (50 માળા)નો નિર્ણય લીધો છે. તો કોઇ જૂની પસ્તી ઉઘરાવી તેમાંથી મળતાં નાણાંનું દાન કરી સેવા કરી રહ્યાં છે.
📲Get App