સાંતલપુર તાલુકામાં વરસાદ બાદ હજુ પણ પાણીનો કહેર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામડાઓની AAP સંગઠન મંત્રી ડો. મુકેશ ગીરી ગોસ્વામી દ્વારા મુલાકાત
સાંતલપુર તાલુકામાં વરસાદ બાદ હજુ પણ પાણીનો કહેર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામડાઓની AAP સંગઠન મંત્રી ડો. મુકેશ ગીરી ગોસ્વામી દ્વારા મુલાકાત
સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને દિવસો વીતી ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. કેટલાક ગામડાઓમાં સંપર્કના પ્રશ્નો યથાવત હોવાનું સામે આવ્યું છે.
વરસાદ દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ સાંતલપુર તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને મુખ્યમંત્રીને પત્ર લખી રાહત અને સહાયની માંગ કરી હતી.
પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સાંતલપુર તાલુકામાં હજુ સુધી નુકસાનનો યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી અને ખેડૂતો તથા સામાન્ય નાગરિકોને કોઈ રાહત કે વળતર મળ્યું નથી.
આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી ડો. મુકેશ ગીરી ગોસ્વામી અને તેમના કાર્યકર્તાઓએ સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી હતી.
પાણી ભરાયેલા વિસ્તારોમાં જઈ લોકોની મુશ્કેલીઓ જાણી અને થયેલા નુકસાનની સ્થિતિ નિહાળી હતી. મુલાકાત દરમિયાન સરકાર સુધી અસરગ્રસ્ત લોકોની સમસ્યાઓ પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોની માંગ — તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે તથા પાણી ભરાયેલા ગામોમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામડાઓની AAP સંગઠન મંત્રી ડો. મુકેશ ગીરી ગોસ્વામી દ્વારા મુલાકાત
સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને દિવસો વીતી ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. કેટલાક ગામડાઓમાં સંપર્કના પ્રશ્નો યથાવત હોવાનું સામે આવ્યું છે.
વરસાદ દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ સાંતલપુર તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને મુખ્યમંત્રીને પત્ર લખી રાહત અને સહાયની માંગ કરી હતી.
પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સાંતલપુર તાલુકામાં હજુ સુધી નુકસાનનો યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી અને ખેડૂતો તથા સામાન્ય નાગરિકોને કોઈ રાહત કે વળતર મળ્યું નથી.
આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી ડો. મુકેશ ગીરી ગોસ્વામી અને તેમના કાર્યકર્તાઓએ સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી હતી.
પાણી ભરાયેલા વિસ્તારોમાં જઈ લોકોની મુશ્કેલીઓ જાણી અને થયેલા નુકસાનની સ્થિતિ નિહાળી હતી. મુલાકાત દરમિયાન સરકાર સુધી અસરગ્રસ્ત લોકોની સમસ્યાઓ પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોની માંગ — તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે તથા પાણી ભરાયેલા ગામોમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવે.