🔥 TRENDING 12 સપ્ટેમ્બર પછી સારા વરસાદની શક્યતા –... Indian Economy Shows Resilience Amid G... India's Private Credit Market Falls Sh... Vande Mataram Used as Political Distra... India Says It Took Cautious Approach A... Cockroach Hunger Striker Demands Hones...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

કે.ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મામાં 828 વિદ્યાર્થીઓ માટે કેન્સર જાગૃતિ વ્યાખ્યાન

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 25 Aug 2026, 08:00 AM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

AIIMS‑પ્રમાણિત ઓન્કોલોજિસ્ટ ડૉ. અમિશ વોરાએ 828 વિદ્યાર્થીઓને કેન્સર, તેના પ્રકારો, લક્ષણો અને નિવારણ વિશે સરળ ભાષામાં માર્ગદર્શક માહિતી આપી.

કે.ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા ખાતે વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે કેન્સર જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે AIIMS‑પ્રમાણિત મેડિકલ ઓન્કોલોજી નિષ્ણાત ડૉ. અમિશ વોરા (MD, DA), જે ડિરેક્ટર – મેડિકલ ઓન્કોલોજી (પાર્ટનર અને ફાઉન્ડર) છે, 828 વિદ્યાર્થીઓને તલસ્પર્શી અને માર્ગદર્શક માહિતી આપી.

વ્યાખ્યાનમાં બાળકોમાં સ્વસ્થ આદતો, કેન્સર શું છે, વિવિધ ઉંમરે થનારા કેન્સરના પ્રકારો, સામાન્ય લક્ષણો અને કેન્સરથી બચવા માટેની સાવચેતીઓ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા.

વિદ્યાર્થીઓએ આ માહિતીથી કેન્સર સંબંધિત જોખમો અને નિવારણ પગલાંઓ વિશે સ્પષ્ટતા મેળવી, જે તેમની સ્વાસ્થ્ય જાગૃતિને મજબૂત બનાવશે.
📲Get App