🔥 TRENDING Mokshagna's Anticipated Debut Receives... NCB Seizes Brown Sugar, Arrests Sikkim... Mizoram Grants 11 Fruit Beer Licences... Minister Ojing Tasing Opens New Apex B... Arunachal Minister Balo Raja Inspects... Alwar Volunteer Missing After Arunacha...
19 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 647મી જન્મજયંતિ નિમિત્તે સિનાડ ગામે પવિત્ર કળશ વિતરણ સમારંભ યોજાયો

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 18 Aug 2026, 05:03 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 647મી જન્મજયંતિ નિમિત્તે સિનાડ ગામે પવિત્ર કળશ વિતરણ સમારંભ યોજાયો
સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સમાનતા-બંધુતાનો સંદેશ અપાયો
રાધનપુર
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 647મી જન્મજયંતિ નિમિત્તે રાધનપુર તાલુકા ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સિનાડ ગામે પવિત્ર કળશ વિતરણ સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ સંત રવિદાસ મહારાજના સમરસતા, સમાનતા, બંધુતા અને માનવતાના સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે. ઉપસ્થિત સૌએ આ સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો.
📲Get App