🔥 ट्रेंडिंग विजय सरकार ने यूके निवेश के तहत तमिलना... मदुरै के मीणाक्षी सुंदरश्वर मंदिर में... बीजेपी प्रमुख नितिन नाबिन ने उज्जैन मे... मध्य प्रदेश ने बाघ अभयारण्यों के प्रबं... सीजेपी के सौरव दास ने कहा, एमपी के अंग... मोहाली में लॉरेंस बिश्नोई गैंग के चार...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદા નદીના કિનારે હરિયાળી માટે અનોખી પહેલ, 600 સીડ બોલનું વિતરણ

નર્મદા નદીના કિનારે હરિયાળી માટે અનોખી પહેલ, 600 સીડ બોલનું વિતરણ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 23 जुल. 2026, 06:12 PM 👁 80
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે નર્મદા કિનારે હરિયાળી માટે અનોખી પહેલ, 600 સીડ બોલનું વિતરણ
તિલકવાડા (નર્મદા): પર્યાવરણ સંરક્ષણ અને કુદરતમાં હરિયાળી વધારવાના હેતુથી અભિનવ શારદા ગ્રુપ, વડોદરા દ્વારા નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે નર્મદા નદીના કિનારે અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી.
આ પર્યાવરણલક્ષી અભિયાન અંતર્ગત નર્મદા નદીના કિનારે વિવિધ પ્રકારના વૃક્ષોના અંદાજે **600 સીડ બોલ (બીજ ગોળા)**નું વિતરણ અને સીડ બોલ થ્રો કાર્યક્રમ યોજાયો હતો.
વરસાદી ઋતુ દરમિયાન આ બીજ અંકુરિત થઈને નવા વૃક્ષોનું સર્જન કરે, નદીકાંઠાના વિસ્તારોમાં હરિયાળી વધે, જૈવ વૈવિધ્યનું સંરક્ષણ થાય અને પર્યાવરણ વધુ સમૃદ્ધ બને તેવો આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
અભિનવ શારદા ગ્રુપ, વડોદરા દ્વારા કરવામાં આવેલી આ પહેલ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. સંસ્થાએ આશા વ્યક્ત કરી છે કે આજે વાવેલા આ બીજ આવનારા સમયમાં હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણનું નિર્માણ કરશે.
"આજે વાવેલા બીજ આવતીકાલનું હરિયાળું ભવિષ્ય છે."
📲Get App