🔥 TRENDING Fujifilm Enhances instax Pal 2 and Lin... Morton County Deputy Cleared of Wrongd... Trucks Stranded on Silchar-Manipur Hig... Governor Concludes Sanatomo Awards Cer... Manipur CM Yumnam Khemchand Puts Commu... Meghalaya CM Conrad Sangma Reviews SIR...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતર મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને 55 ગજની ધ્વજા ચડાવી

✍️ Reporter: Virendra bhai vyas 🗓 16 Sep 2026, 07:45 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તળાવમાં યોજાયેલ તરણેતર મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને 55 ગજની ધ્વજા ચડાવવામાં આવી, જેમાં પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા અને અન્ય સંતો ભાગ લીધો.

સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ તળાવમાં આજ રોજ યોજાયેલ તરણેતર મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને 55 ગજની ધ્વજા ચડાવવામાં આવી. પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા અને અન્ય સંતો-મહંતોએ આ ધ્વજારોહણ સમારંભમાં ભાગ લીધો.

ધ્વજા ચડાવવાના પૂર્વે ધજાજીનું પૂજન કરવામાં આવ્યું, ત્યારબાદ વાજતે-ગાજતે શોભાયાત્રા શરૂ થઈ. શોભાયાત્રા મંદિર સુધી પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીએ પૂજાવિધિ પૂર્ણ કરી અને ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું.

મહંત નિર્મળાબાએ જણાવ્યું કે, ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ધ્વજા ચડાવવું હંમેશા આનંદ અને ગૌરવનું કારણ છે અને વર્ષોથી આ પરંપરા ચાલુ છે. તેમણે તમામ નાગરિકો માટે મહાદેવની કૃપા બની રહે તેવી પ્રાર્થના કરી.

મેળા કમિટીના સભ્ય રામકુભાઈ ખાચરે કહ્યું કે, ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ તરણેતર મેળો પ્રાચીન, સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, જ્યાં ભજન અને ભક્તિનું સંગમ જોવા મળે છે. તેમણે ઉમેરો કર્યો કે, જિલ્લા વહીવટી તંત્ર અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
📲Get App