🔥 TRENDING Shutters Down in Jirakpur Markets as P... Four Youths in White Swift Try to Run... SITU Warns Government of Planned Prote... Teen Stabbed to Death While Filming Re... Delhi University student union electio... Security forces seize 5 kg of IEDs in...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદમાં રાજસ્થાનથી આવતા નકલી પનીરનું કૌભાંડ ઝડપાયું: 408 કિલો જથ્થો જપ્ત

✍️ Reporter: Kharadi Dipak Kumar Ramesh Bhai 🗓 22 Aug 2026, 01:32 AM 👁 12
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજસ્થાનના જોધપુર અને પાલીથી સસ્તા ભાવે અમદાવાદમાં વેચાણ માટે લાવવામાં આવેલું 408 કિલો એનાલોગ પનીર પોલીસે જપ્ત કર્યું છે.

અમદાવાદમાં રાજસ્થાનથી આવતા એનાલોગ પનીરના વેચાણનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે બે લક્ઝરી બસમાંથી કુલ 408 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. આ પનીરનું ઉત્પાદન રાજસ્થાનના જોધપુર અને પાલી ખાતે આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કરવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ પનીરના પેકેટ પર 450 રૂપિયાની MRP છાપવામાં આવી હતી, પરંતુ તેને ગ્રાહકોને માત્ર 240 રૂપિયાના ભાવે વેચવામાં આવતું હતું. આ જથ્થો લેવા માટે બે વ્યક્તિઓ પહોંચ્યા હતા, જેમને પોલીસે અટકાયતમાં લીધા છે.

બજારમાં સસ્તા ભાવે વેચાતા આ પનીરની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી આ નેટવર્કમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરી શકાય.
📲Get App