🔥 ट्रेंडिंग आईसीएआर-एनआरसीबी ने 33वें स्थापना दिवस... ईरान ने नई अमेरिकी प्रतिबंधों को ‘अवैध... भारत और मॉरीशस ने पाँच साल का ईंधन आपू... कांग्रेस नेता कोन्दा सुरेखा ने वारंगल... पाकिस्तान के आईएसआई ने लशकर‑ए‑तायबा के... ओडिशा में गंभीर बाढ़ संकट, राहत कार्य...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खानपान

બસમાંથી 406 કિલો નકલી એનાલોગ પનીર પકડાયું

✍️ रिपोर्टर: Semil Lakhani 🗓 22 अग. 2026, 03:14 PM 👁 7
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કંડકિયામાં જથ્થો ઉતારાયો હતો, શહેરની હોટલો-દુકાનોમાં સપ્લાય થવાનો હતો

અમદાવાદ: મ્યુનિસિપલ ફૂડ વિભાગે શહેરમાં નકલી પનીરના જથ્થા સામે કાર્યવાહી કરતાં 406 કિલો એનાલોગ પનીર જપ્ત કર્યું છે. આ જથ્થો રાજસ્થાનથી બસ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.

બસમાંથી ઉતાર્યા બાદ જથ્થો ઝડપાયો

ફૂડ વિભાગને મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી. રાજસ્થાનથી અમદાવાદ આવતી બસમાંથી આ એનાલોગ પનીરનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓએ જથ્થો કબજે કર્યો હતો.

શહેરની હોટલો અને દુકાનોમાં સપ્લાય થવાનો હતો

તપાસમાં સામે આવ્યું છે કે આ પનીર શહેરની વિવિધ હોટલો અને દુકાનોમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો. આ જથ્થા પર અલગ-અલગ બ્રાન્ડના લેબલ લગાવવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે.

જથ્થાના સેમ્પલ તપાસ માટે મોકલાયા

ફૂડ વિભાગે જપ્ત કરાયેલા પનીરના સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ પનીરની ગુણવત્તા અને તેમાં કયા ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંગે વધુ સ્પષ્ટતા થશે.

બે બસ દ્વારા મોટો જથ્થો આવ્યો હોવાની માહિતી

અહેવાલ મુજબ રાજસ્થાનથી ગુજરાતમાં આવતી બે બસ મારફતે એનાલોગ પનીરનો મોટો જથ્થો પરિવહન કરવામાં આવતો હતો. સમગ્ર સપ્લાય ચેન અંગે ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App