🔥 TRENDING SBI Report Says RBI’s Monetary Policy... Telangana Government to Launch Dedicat... Low Pressure System Develops Over Bay... Rain Alert Issued for Odisha as Monsoo... Heavy Rain Pummels Odisha, Prompting F... 1,618 Acres of Konaseema’s ‘Sea Land’...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગારીયાધારના મેસણકા ગામે બંધ મકાનમાં રૂ.31,700ની ચોરી

✍️ Reporter: Makvana Jaydip 🗓 24 Aug 2026, 09:36 AM 👁 14
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારીયાધાર તાલુકાના મેસણકા ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. સુરતથી પરત આવેલા વૃદ્ધ ખેડૂતના ઘરમાંથી અજાણ્યા તસ્કરો રોકડ સહિત રૂ.31,700ની મિલકત ચોરી કરી ફરાર થઈ ગયા.

મળતી માહિતી મુજબ, રામજીભાઈ રણછોડભાઈ બેલડિયા તા.13થી 17 ઓગસ્ટ દરમિયાન સુરત ખાતે પુત્રો પાસે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજા અને કબાટના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કબાટમાંથી રૂ.30,000 રોકડ, રૂ.1,100ની તાંબાની હેલ અને રૂ.600નું પ્રેશર કૂકર ચોરી કરવામાં આવ્યું હતું.

રામજીભાઈ પરત ફર્યા ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોવા મળતા ચોરીની જાણ થઈ હતી. ગારીયાધાર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App