🔥 ट्रेंडिंग GSRTCએ ભાડા સમયગાળો 45 દિવસથી 35 દિવસમ... બનાસકાંઠા જિલ્લામાં BJP ના લઘુમતી મોરચ... मणिपुर के सीएम ने वरिष्ठ CRPF अधिकारिय... मणिपुर ने नागरिकता की मांग की, एनआरसी... एनआरसी मांग पर मणिपुर में इम्पाल घाटी... शिलॉंग ने 750 से अधिक स्ट्रीट विक्रेता...
19 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાવનગર ના ઉખરલામાં મોટી દુર્ઘટના! કુવામાં પડી 3 યુવકોના મોત | Bhavnagar | NEED 24 NEWS

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 18 अग. 2026, 08:20 PM 👁 30
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી ત્રણ યુવકોના મોત

ભાવનગરના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, વાડી વિસ્તારમાં 11 જેટલા લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પોલીસની રેઇડ પડી હોવાની જાણ થતાં તમામ લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. ભાગતી વખતે ત્રણ યુવકો કુવામાં પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનામાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના ત્રણ યુવકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

બનાવની જાણ થતાં મૃતકોના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

જોકે, પોલીસની રેઇડ અંગે હજુ વિવાદ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ વરતેજ પોલીસ દ્વારા રેઇડ બાબતે ઇનકાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસની રેઇડ દરમિયાન ભાગવા જતા આ દુર્ઘટના બની હતી.

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની સાચી હકીકત તપાસ બાદ સ્પષ્ટ થશે.
📲Get App