🔥 ट्रेंडिंग मनेर पुलिस ने गुप्त सुचना पर छापेमारी... ધારી તાલુકાની આર.બી.એસ.કે. ટીમે વિનામૂ... ચીખલી રાનકુવા રોડ પર ટ્રક અને બાઈક વચે... बिहार राज निर्माण यूनियन कि बैठक आयोजि... રાજ્યનામુખ્યમંત્રી ને રાણાવાવ કુતિયાણા... कांग्रेस कहती है, ऑपरेशन सिंधूर में ची...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

28 ઓગસ્ટે ઉજવાઈ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ: ગુજરાતી સાહિત્યનું ગૌરવ

✍️ रिपोर्टर: Virendra bhai .N. vyas 🗓 26 अग. 2026, 05:40 PM 👁 14
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

28 ઓગસ્ટે સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી સમાજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ ઉજવે છે, જે ગુજરાતી ભાષા, લોકસંસ્કૃતિ અને દેશપ્રેમને પુનર્જીવિત કરે છે.

28 ઓગસ્ટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ ઉજવાઈ. 28 ઓગસ્ટ, 1896માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં જન્મેલા મેઘાણીનું જીવન અને કાર્ય સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાં ઉજવાય છે.

મેઘાણીનું બાળપણ સૌરાષ્ટ્રના ગામડાઓમાં વિત્યું, પિતા જેલ ખાતામાં નોકરી કરતા. ગ્રામીણ જીવન, લોકબોલી, લોકગીતો અને દુહાઓ પ્રત્યે પ્રેમ જાગ્યો. બી.એ. પૂર્ણ કર્યા પછી કોલકાતામાં નોકરી કરી, પરંતુ સાચો જીવ સૌરાષ્ટ્રની માટી અને લોકસાહિત્યમાં.

તેમણે ગામડે-ગામડે અને ડુંગરે-ડુંગરે ભ્રમણ કરીને વયોવૃદ્ધો, ચારણો અને ભજનિકોના કંઠે રહેલા લોકગીતો, કથાઓ અને ભાદરના પાણી જેવા નિર્મળ લોકવારસાને એકત્રિત કર્યો. જીવન સાહિત્ય અને સમાજસેવા માટે સમર્પિત.

જન્મજયંતિ માત્ર પુષ્પાંજલિ અર્પણનો અવસર નથી, પણ તેમના વિચારોને દૈનિક જીવનમાં ઉતારવાનો સંકલ્પ. બાળકોમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ જાગાવવો, લોકકથાઓ અને મેઘાણીના સાહિત્યનો પરિચય કરાવવો. સાંસ્કૃતિક વારસાને ગૌરવપૂર્વક આગળ ધપાવવો.

મેઘાણીજીએ લોકસાહિત્યને પોતાના શબ્દોથી અમર બનાવ્યું, હવે તેને આવનારી પેઢી સુધી સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી છે.
📲Get App