🔥 TRENDING Eight dead as flash floods hit Nanded,... Uttar Pradesh drives Kalanamak rice pr... Nepal Floods Prompt PM Balen Shah’s Un... Three Christians Detained Over Alleged... Gujarat Police Seize 35,199 IMFL Bottl... Actress Donal Bisht Announces Unconven...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

પાન્ધ્રો ગામે અદભુત સાદગી અને ભાઈચારા સાથે ઉજવાઈ ઈદે મિલાદ-ઉન-નબી: 1501મી મિલાદ નિમિત્તે નીકળ્યું શાંતિપૂર્ણ જુલુસ

✍️ Reporter: Khalifa Parvezhusen Latif 🗓 27 Aug 2026, 12:40 AM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાન્ધ્રો, તારીખ ૨૬-૦૮-૨૦૨૬: ​આજ રોજ પાન્ધ્રો ગામે મુસ્લિમ અહેલે સુન્નત વલ જમાત દ્વારા પયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલાલહ હું વાલાઈ વસલમ ના જન્મદિન (ઈદે મિલાદ-ઉન-નબી)ની ૧૫૦૧મી ઉજવણ

પાન્ધ્રો ગામે અદભુત સાદગી અને ભાઈચારા સાથે ઉજવાઈ ઈદે મિલાદ-ઉન-નબી: 1501મી મિલાદ નિમિત્તે નીકળ્યું શાંતિપૂર્ણ જુલુસ
​પાન્ધ્રો, તારીખ ૨૬-૦૮-૨૦૨૬:
​આજ રોજ પાન્ધ્રો ગામે મુસ્લિમ અહેલે સુન્નત વલ જમાત દ્વારા પયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલાલહ હું વાલાઈ વસલમ ના જન્મદિન (ઈદે મિલાદ-ઉન-નબી)ની ૧૫૦૧મી ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી.
​આ પવિત્ર દિવસે પયગમ્બર સાહેબના મુખ્ય સંદેશા એવા "શાંતિ, અમાન અને સાદગી" ને વરેલા રહીને ગામમાં એક ભવ્ય અને શાંતિપૂર્ણ જુલુસ કાઢવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલોએ એક થઈને પયગમ્બર સાહેબના પ્રેમ અને ભાઈચારાના સંદેશને જન-જન સુધી પહોંચાડ્યો હતો.
​આ પવિત્ર કાર્યક્રમ અને જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ઉત્સવ શાંતિથી સંપન્ન થાય તે માટે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ખૂબ જ સારો સહકાર અને સમર્થન પ્રાપ્ત થયું હતું. સમાજ દ્વારા પોલીસ પ્રશાસનના આ સહયોગ બદલ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.અને નાના નાના છોકરા જુલુસ ની સાન વધાવિ હતી
​આ ઉજવણીએ પાન્ધ્રો ગામમાં કોમી એકતા અને શાંતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
📲Get App