🔥 ट्रेंडिंग जम्मू-कश्मीर सरकार ने एयुश बोर्डों को... जम्मू-कश्मीर में 1 सितंबर से नई बिजली... जम्मू-कश्मीर में बिजली टैरिफ 6.83% बढ़... सेसा अकादमी के शिवा ने भारत U-15 फुटबॉ... लाइटहाउस ने पनजी, गोवा में नया केंद्र... बॉलीवुड अभिनेता अर्जुन रम्पाल ने गोवा...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વલસાડ: અતુલ ગ્રામ પંચાયતના રૂ.14 લાખના ગેરવહીવટ મામલે રિકવરી ક્યારે થશે?

✍️ रिपोर्टर: jaiswal amarnath subedar 🗓 22 अग. 2026, 01:06 PM 👁 17
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડના અતુલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સામેના રૂ.14 લાખના ગેરવહીવટના મામલે એક વર્ષ બાદ પણ રિકવરી ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વલસાડના અતુલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ દર્શલ વિજયભાઈ દેસાઈ સામે અગાઉ થયેલા આશરે રૂ.14 લાખના આક્ષેપિત ગેરવહીવટ અને રિકવરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા અગાઉ આ મામલે તપાસ અને નોટિસની કાર્યવાહી કરવામાં આવી હતી.

દાવા મુજબ, ઉપસરપંચ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સંબંધિત રકમ ગ્રામ પંચાયતમાં પરત જમા કરાવવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેખિત સૂચના આપવામાં આવી હતી. જોકે, આશરે એક વર્ષનો સમય વીતી જવા છતાં આ રકમ ગ્રામ પંચાયતના ખાતામાં જમા થઈ છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ વિલંબને કારણે ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો રકમની રિકવરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, તો આજદિન સુધી તેની વસૂલાત કેમ થઈ નથી? સાથે જ, આ મામલે કોઈ રાજકીય કે અન્ય પ્રભાવના કારણે કાર્યવાહી અટકી છે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં કોઈ પણ વ્યક્તિની સંડોવણીના સત્તાવાર પુરાવા મળ્યા ન હોવાથી, સમગ્ર મામલે પારદર્શક તપાસ અને સત્તાવાર ખુલાસાની માંગ ઉઠી છે.

હવે વહીવટી તંત્ર આ રૂ.14 લાખની રિકવરી બાબતે આગળ શું કાર્યવાહી કરે છે અને આ રકમ ક્યારે ગ્રામ પંચાયતના ખાતામાં
જમા થાય છે, તે જોવું રહ્યું.
📲Get App