Crime
અમદાવાદના નરોડામાં સગીરા પર હુમલો: છેડતી બાદ ઈમારતના 10મા માળેથી ફેંકી દીધી, બે આરોપી ઝડપાયા
Watch on:
▶️ YouTube
અમદાવાદના નરોડા-મુઠીયા વિસ્તારમાં સગીરા સાથે છેડતી કરી તેને નિર્માણાધીન ઈમારત પરથી નીચે ફેંકી દેવાના મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના નરોડા-મુઠીયા વિસ્તારમાં એક સગીરા સાથે છેડતી કર્યા બાદ તેને બાંધકામ હેઠળની ઈમારતના 10મા માળેથી નીચે ફેંકી દેવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ગંભીર મામલામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનામાં ત્રણ આરોપીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. નરોડા પોલીસે તપાસ દરમિયાન દિનેશ નિનામા અને સુરેશચંદ્ર ચરપોટ નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ઘટનામાં સામેલ અન્ય એક આરોપી હાલ ફરાર છે, જેની શોધખોળ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનામાં ત્રણ આરોપીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. નરોડા પોલીસે તપાસ દરમિયાન દિનેશ નિનામા અને સુરેશચંદ્ર ચરપોટ નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ઘટનામાં સામેલ અન્ય એક આરોપી હાલ ફરાર છે, જેની શોધખોળ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.