🔥 TRENDING ઇડરના સપ્તેશ્વર નદીમાં બે યુવાનો ડૂબ્ય... अमेठी: 500 सीसीटीवी कैमरों की जांच के... સિહોરમાં પોલીસની મોટી કાર્યવાહી: 94 બો... अमेठी: आलू किसानों के लिए तीन नई सरकार... अमेठी: विवाहिता की हत्या का सनसनीखेज ख... સુરતના ખોલવડના વિકાસ માટે રેખાબેન સંઘા...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદના નરોડામાં સગીરા પર હુમલો: છેડતી બાદ ઈમારતના 10મા માળેથી ફેંકી દીધી, બે આરોપી ઝડપાયા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 10:56 AM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નરોડા-મુઠીયા વિસ્તારમાં સગીરા સાથે છેડતી કરી તેને નિર્માણાધીન ઈમારત પરથી નીચે ફેંકી દેવાના મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના નરોડા-મુઠીયા વિસ્તારમાં એક સગીરા સાથે છેડતી કર્યા બાદ તેને બાંધકામ હેઠળની ઈમારતના 10મા માળેથી નીચે ફેંકી દેવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ગંભીર મામલામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનામાં ત્રણ આરોપીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. નરોડા પોલીસે તપાસ દરમિયાન દિનેશ નિનામા અને સુરેશચંદ્ર ચરપોટ નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ઘટનામાં સામેલ અન્ય એક આરોપી હાલ ફરાર છે, જેની શોધખોળ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
📲Get App