🔥 TRENDING ઇડરના સપ્તેશ્વર નદીમાં બે યુવાનો ડૂબ્ય... अमेठी: 500 सीसीटीवी कैमरों की जांच के... સિહોરમાં પોલીસની મોટી કાર્યવાહી: 94 બો... अमेठी: आलू किसानों के लिए तीन नई सरकार... अमेठी: विवाहिता की हत्या का सनसनीखेज ख... સુરતના ખોલવડના વિકાસ માટે રેખાબેન સંઘા...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદમાં સગીરા પર હુમલો: છેડતી બાદ બિલ્ડિંગના 10મા માળેથી નીચે ફેંકી દેતા ચકચાર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 Aug 2026, 10:56 AM 👁 8
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નરોડા-મુઠીયા વિસ્તારમાં સગીરા સાથે છેડતી કરી તેને નિર્માણાધીન ઇમારતના 10મા માળેથી નીચે ફેંકી દેવાના મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના નરોડા-મુઠીયા વિસ્તારમાં એક સગીરા પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. સગીરા સાથે છેડતી કર્યા બાદ તેને બાંધકામ હેઠળની એક ઇમારતના 10મા માળેથી નીચે ફેંકી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ મામલે નરોડા પોલીસે તપાસ હાથ ધરીને બે આરોપીઓ દિનેશ નિનામા અને સુરેશચંદ્ર ચરપોટની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કુલ ત્રણ આરોપીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ બે આરોપીઓ પોલીસની પકડમાં છે, જ્યારે ત્રીજા ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App